Psalms 2
1વિદેશીઓ શા માટે તોફાન કરે છે?અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
2યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ
પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે
અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
3“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ;
અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
4આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
5પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે
અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
6“મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
7હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ.
તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે!
આજે મેં તને જન્મ આપ્યો છે.
8તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
9તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે;
તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
10તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
11ભયથી યહોવાહની સેવા કરો
અને કંપીને હર્ષ પામો.
તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે
જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
12
Copyright information for
GujULB